આજકાલ કોઈ પણ લોકોને બીજા લોકો પર માનવતા હોય તેવું દેખાઈ રહ્યું જ નથી. સમાજમાં લોકો પોતાના સ્વાર્થ માટે કોઇપણ વ્યક્તિઓ સાથે ઝઘડો અને મારામારી કરી રહ્યા છે. કોઇપણ મહિલાને નાના બાળકો પર હંમેશા લાગણી રહેતી હોય છે અને મહિલા પોતાના અથવા કોઈ પણ બાળકોને ક્યારેય નુકસાન પહોચાડે તેવું કામ કરી શકે નહીં.
પરંતુ આજકાલ એવી પણ ઘટનાઓ બનવા લાગી છે કે કોઈ પણ મહિલાઓ નાના માસૂમ બાળકો ઉપર અત્યાચારો કરીને બદલો લઈ રહી છે આવી સમાજમાં આપણે ઘણી બધી ઘટનાઓ જોઈ રહ્યા છીએ. અને ક્યારેક તો માતા જ પોતાના બાળકો સાથે જ આવા ખરાબ કામો કરીને પોતાની મમતાને લજવી રહી હોય છે.
આવી જ એક માસૂમ બાળક સાથે અત્યાચારની ઘટના જબલપુર વિસ્તારમાં સામે આવી હતી. જબલપુર જિલ્લામાં 2 વર્ષના બાળક સાથે ક્રૂર અત્યાચાર કરવામાં આવ્યો હતો. જબલપુર જિલ્લામાં એક પરિવાર ખુબ જ ખુશીથી રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની અને તેનું 2 વર્ષનું બાળક રહેતું હતું. પતિ-પત્ની શિક્ષિત હોવાને કારણે તેઓ નોકરી કરી રહ્યા હતા.
નોકરી કરવા જતા હતા. તેને કારણે ઘરે બાળકને સાચવવા માટે કોઈ જ ન હતું. તે માટે તે પરિવારે બાળકને સાચવવા માટે આયા રાખવાનું વિચાર્યુ હતું. તે માટે પરિવારે ચમન નગરમાં રહેતી રજની ચૌધરીને પોતાના બાળકની દેખરેખ રાખવા માટે નોકરી પર રાખી હતી. અને માતા-પિતા બન્ને નોકરી કરવા માટે સવારે જતા રહેતા હતા.
બાળકની દેખરેખ રાખવા માટે કોઈ જ ન હતું તે માટે આયા આખો દિવસ બાળક સાથે રહીને તેની સંભાળ કરી રહી હતી પરંતુ આયા નિર્દય હોવાને કારણે માતા પિતાની ગેરહાજરીમાં બાળક સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતી હતી. આયાને માતા-પિતાએ દેખરેખ રાખવા માટે મહિનાનો 5000 રૂપિયા પગાર પણ ચૂકવતા હતા.
અને ભોજન પણ અહીંથી જ આપવામાં આવતું હતું. અને આયાને માસુમ બાળકની દેખરેખ રાખવાની બધી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. તેને કારણે માતા-પિતા 11 વાગે સવારે નોકરીએ ચાલ્યા જતા હતા. ત્યારબાદ આયા બાળક ઉપર અત્યાચારો કરતી હતી. અને એક દિવસ બાળકને બીમાર પડી જતાં માતા-પિતા તેને ડોક્ટર પાસે લઇ જઇને તેની તપાસ કરવા કરાવી હતી.
ત્યારે બાળકને આંતરડામાં સોજો હોય તેવું ડોક્ટરને જણાયું હતું. અને બાળક ખૂબ જ શાંત અને ગુમસુમ બેસી રહેતું હતું. તેને કારણે માતા-પિતાને રજનીના વ્યવહાર ઉપર શંકા જતી હતી. તે માટે ઘરમાં રજનીને ખબર ન હોય તેવી રીતે સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા. માતા પિતા જ્યારે ઘરેથી બહાર જાય.
ત્યારે આ રજની બાળકો પર ખૂબ જ અત્યાચારો કરીને બાળકને હેરાન કરતી હતી તે માટે એક દિવસ કેમેરા લગાવીને માતા-પિતા નોકરીએ જવા નીકળ્યા ત્યારે રજનીએ બાળક પર અત્યાચાર કરીને બાળકને માર માર્યો હતો. આ બધું સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઇ ગયું હતું. તે માટે રજનીની માતા-પિતા સામે આંખ ખુલી ગઈ હતી. અને રજનીની પોલિસને ફરિયાદ કરી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!