સ્વામીશ્રીની ગાડી હાઈવે પરનાં ગામો, શહેરો પસાર કરતી જઈ રહી હતી. રાજકોટ, ચોટીલા, સાયલા થઈ રાતે ૮-૫૫ વાગે લીંબડી આવ્યું.
ભક્તોએ તૈયાર રાખેલ પ્રસાદ મોટરમાં જ લઈ રાખ્યો. લીંબડીથી નીકળ્યા. ચાલુ ગાડીએ એક ડીશમાં મેંદુવડાં અને ચટણી કાઢી ઠાકોરજીને ધરાવ્યાં. એકાદ અંગીકાર કર્યા પછી સ્વામીશ્રી કહે, ‘આ ઈન્દ્રવદન ગાડી ચલાવે છે, તે કેવી રીતે લેશે? લે, હું આપું.” સ્વામીશ્રીના મુખ પર અજબ ખુશાલી રમી રહી હતી.
ચટણીમાં બોળી બોળી સ્વામીશ્રી ઈન્દ્રવદનના હાથમાં-એક પછી એક આપતા ગયા! આવો લહાવો તો કોણ ચૂકે?ઈન્દ્રવદનને તૃપ્ત કર્યા પછી સ્વામીશ્રી હસતાંહસતાં કહે, ‘અત્યાર સુધી આપણે પૂછતાઃ‘ઈન્દ્રવદન જમ્યો?’ પણ આવો જમાડવાનો લાભ તોઆજે મળ્યો!”
ગુરુના દરજ્જાથી તદન અભાન બન્યા વિના, સાચા વાત્સલ્યની અગાધતા વિના અને માતાની મમતા પ્રગટ્યા વિના આવું કેમ સંભવે? યુવકો સાથે તેમના જેવા જ થઈ જવાની તેમની ખાસિયતને કારણે યુવાનો સ્વામીશ્રીના અપ્રતિમ
પ્રતિભાશાળી વ્યક્તિત્વનો કોઈ ભાર અનુભવતા નથી. સૌને અહોભાવ ઊભરી આવે છે: ‘આટલા મહાન છતાં આવા મિત્ર!”
વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.