જાણો રામસેતુના પથ્થરોનું રહસ્ય, ક્યાં કારણથી તે આજે પણ તરે છે દરિયાના પાણીમાં?

0
296

આજે આપને ચર્ચા કરી રહ્યા છીએ રામસેતુ તથા તેની પાછળ ના રહસ્ય વિશે. જે પ્રભુ શ્રી રામ શબ્દ પથ્થર પર કોતરી ને પાણી મા ફેક્યો પણ તે ડુબવા ની જગ્યા એ તરવા માંડ્યો અને આ રીતે લંકા સુધી જવા માટે રામસેતુ નિર્મિત થયો. દરિયા પર નિર્મિત થયેલ આ રામસેતુ વિશ્વભર મા ‘ એડેમ્સ બ્રીજ ‘ ના નામ થી જાણીતો છે.

પૌરાણિક હિંદુ શાસ્ત્ર નો મહાન ગ્રંથ રામાયણ અનુસાર આ રામસેતુ એ પ્રભુ નારાયણના સપ્તમા અવશેષ પ્રભુ શ્રી રામની વાનર ટૂકડીએ ભારતના દક્ષિણી હિસ્સા રામેશ્વરમા નિર્મિત કર્યો હતો.

આ રામસેતુ ભારતના રામેશ્વર થી પ્રારંભ થઈ ને શ્રીલંકા ના મન્નાર સુધી સ્થિત થયેલો છે. મોટાભાગ ની પ્રજા આ સેતુને ઈશ્વરની લીલાનુ નામ આપે છે. જ્યારે વિજ્ઞાનનો મત આનાથી તદ્દન કંઈક જુદો જ છે. આ રામસેતુ જે પથ્થરો દ્વારા નિર્મિત થયો છે તે પથ્થરો વિશે જાણકારી મેળવવા હાલમા પણ લોકોના મનમા ઘણી બધી ઉત્સુકતા રહેલી છે.

આ સેતુ નળ અને નીલના માર્ગદર્શનથી નિર્મિત થયો હતો. આ સેતુ નિર્માણ માટે વાનરો દ્વારા બધી સામગ્રી એકઠી કરવામા આવી હતી. આ સામગ્રી વૃક્ષના થડ , વિશાળ પર્ણ તથા વૃક્ષનો સમાવેશ થતો હતો.

સાયન્ટીસ્ટોની માન્યતા એવી છે કે નળ અને નીલને ખ્યાલ હતો કે કયો પથ્થર કઈ જગ્યા એ સ્થાપિત કરવાથી પાણીની અંદર ડૂબે નહી તથા અન્ય પથ્થરોનો પણ આધાર બનશે. આથી , તેઓ એ ‘ પ્યુમાઈસ સ્ટોન ‘નો ઉપયોગ કર્યો.

આ પથ્થરોનુ નિર્માણ જ્વાળામુખીની જ્વાળારસ માથી થાય છે. આ પથ્થરોમા ઘણા બધા હોલ્સ હોય છે. જેથી આ પથ્થર એક સ્પોંજી એટલે કે ખખરાનુ સ્વરૂપ ધારણ કરે છે અને સામાન્ય પથ્થરથી ઓછુ વજન ધરાવે છે જેના લીધે તે પાણીમા સરળતાથી તરી શકે છે.

પણ જ્યારે આ હોલ્સમા પાણી ધૂસી જાય છે ત્યારે તે પાણીની અંદર ચાલ્યા જાય છે. આ જ ઘટના જવાબદાર છે કે હાલ આટલા સમયગાળા બાદ સેતુના અમુક પથ્થરો દરીયા મા અંદર ચાલ્યા ગયા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here