કાળ-મુખા કરોના એ તો હવે બોવ કરી છે…દેશમાં ચારેય બાજુ સૌ કોઈ પોતાની જીદગી સાથે જજુમી રહ્યા છે. તેવામાં કર્નાટક ની હોસ્પિટલમાં આ એક આઘાત જનક બનાવ બન્યો છે. જેનું દેશમાં સૌ કોઈ ને દુઃખ છે. તો ચાલો જાણીએ આ બનાવ વિષે અને તેમના પરિવારોની કરુણ વ્યથા વિષે…
કર્ણાટકના ચામરાનગર ડિસ્ટ્રીક્ટની એક હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતાં 24 લોકોના મોત થયા છે. હોસ્પિટલને બેલ્લારીથી ઓક્સિજન મળવાનો હતો. પરંતુ ઓક્સિજન આવતા વાર લાગી હોવાના કારણે આ મોટી ર્દુઘટના થઈ છે. આ ર્દુઘટના પછી મૈસુરથી 250 ઓક્સિજન સિલિન્ડર મોકલવામાં આવ્યા છે.
ઓક્સીજન ની કમી ના કારણે આજે દેશમાં રોજ રોજ ક્યાંકને ક્યાંકથી ખરાબ સામાચાર આવી રહ્યા છે. અને એક બાજુ સરકાર તેમનાથી બનતા પુરા પ્રયાસો સાથે દેશમાં ઓક્સીજન ની અછત પૂરી કરી રહ્યા છે. આ સમયમાં વિદેશી સહાય પણ મળી રહી છે.. જે દેશ માટે સારા સમાચાર છે.

ANI એ tweet કરી ને આ માહિતીની પુષ્ટી કરી છે. આ સમાચાર વાચતા જ કેટલાય લોકોના હૈયા બેસી ગયા હશે. સૌ કોઈની એક જ માંગ છે કે સરકાર જેમનો જીવ ગયો છે તેના પરિવાર ને આર્થીક સહાય કરે..
હકીકતમાં ચામરાનગર હોસ્પિટલમાં બેલ્લારીથી ઓક્સિજન મળવાનો હતો, પરંતુ અહીં ઓક્સિજન પહોંચવામાં મોડુ થઈ ગયું હતું. અને તેના કારણે આટલી મોટી ર્દુઘટના થઈ હતી. માનવામાં આવે છે કે, જીવ ગુમાવનાર મોટા ભાગના લોકો વેન્ટિલેટર પર હતા. ઓક્સિજન સપ્લાય ખતમ થઈ જતા તે લોકો તડપવા લાગ્યા હતા અને પરિવારજનોની સામે જ તેમના મોત થઈ ગયા.
આ પહેલાં કાલાબુર્ગીની કેબીએન હોસ્પિટલમાં પણ ઓક્સિજનની અછતના કારણે ચાર દર્દીના મોત થયા હતા. તે જ દિવસે યજદિર સરકારી હોસ્પિટલમાં લાઈટ કટના કારણે એક વેન્ટિલેટર પરના દર્દીનું મોત થયું હતું. છેલ્લા એક સપ્તાહમાં કર્ણાકટની ઘણી હોસ્પિટલમાં ઓએક્સિજનની અછતના કારણે લોકોના મોત થયા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!