લાંબા અંતરે ખેતી કર્યા બાદ પણ ખૂબ ઓછા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. લગભગ સાડા પાંચ હજાર ચોરસ ફૂટમાં વાવેતર કરવામાં આવે તો માત્ર 50 ગ્રામ કેસર મળે છે.
કેસરનું (Saffron) નામ સાંભળતા જ તેના ભાવનો વિચાર પહેલા આવે છે. કેસર કિલો દીઠ લાખો રૂપિયામાં વેચાય છે. કેસર સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ ફાયદાકારક છે અને તેનું ધાર્મિક રીતે પણ મહત્વ છે. બજારમાં કેસર ખૂબ જ મોંઘા ભાવે મળે છે, પરંતુ શું તમે જાણો છો કે કેસર એટલું મોંઘું કેમ છે?
કેસરના વાવેતરથી લઈ અને બજારમાં વેચાણ સુધીની તેની પ્રક્રિયા મુશ્કેલ અને સમય માગી લે તે પ્રકારની છે. આ સ્થિતિમાં જાણો કેવી રીતે તેની ખેતી (Farming) થાય છે, જેના કારણે તે ખૂબ મોંઘુ છે.
કેસરના ભાવ ખૂબ વધારે હોય છે, લાંબા અંતરે ખેતી કર્યા બાદ પણ ખૂબ ઓછા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. લગભગ સાડા પાંચ હજાર ચોરસ ફૂટમાં વાવેતર કરવામાં આવે તો માત્ર 50 ગ્રામ કેસર મળે છે. તેથી એક કિલો કેસરનું ઉત્પાદન મેળવવા માટે તેનું વાવેતર પણ વધારે વિસ્તારમાં કરવું પડશે.

કેસરનું (Saffron) વાવેતર કર્યા બાદ તેમાં 15 વર્ષ સુધી ફૂલ આવે છે અને ત્યારબાદ તેના છોડને કાઢી ફરીથી વાવેતર કરવામાં આવે છે. કેસરના (Saffron) છોડ ઝાડની જેમ ઉગતા નથી. તેમાં ફક્ત એક ફૂલ પાંદડાની જેમ નીકળે છે અને ફુલ સીધું બહાર આવે છે. તે લસણ અને ડુંગળીના છોડ જેવા લાગે છે. કેસરના (Saffron) એક ફૂલ ઉગે છે. જેમાં પાંદડાની મધ્યમાં 6 બીજા પાંદડા નીકળે છે, જે ફૂલોના પુંકેસર જેવા હોય છે.
કેસરનો (Saffron) પ્લાન્ટ બેથી ત્રણ ઇંચ ઉપર આવે છે અને તેમાં કેસરના બે કે ત્રણ રેસાઓ હોય છે, જે લાલ રંગના હોય છે. જ્યારે ત્રણ રેસા પીળા રંગના હોય છે, જેનો કોઈ ઉપયોગમાં આવતા નથી. આ સ્થિતિમાં દરેક ફૂલોમાંથી માત્ર કેસરના રેસા જ કાઢવાના હોય છે. અંદાજે 160 કેસરના રેસા બહાર કાઢવામાં આવે ત્યારે તેમાંથી માત્ર એક ગ્રામ કેસર બનાવી શકાય છે. આમ, ઘણી મહેનત બાદ એક ગ્રામ કેસર મળે છે.
કેસરનું (Saffron) વાવેતર ઓગસ્ટમાં થાય છે અને ફૂલોની પ્રક્રિયા માત્ર ઓક્ટોબર-નવેમ્બરમાં જ થાય છે. આ ફૂલોની પ્રક્રિયામાં એક મહિનાનો સમય લાગે છે. કેસર માટેની સિંચાઈ કુદરતી છે અને તેમાંથી ફૂલો કાઢવામાં ઘણી મહેનત છે. જેથી મજૂરી ખર્ચ ખૂબ વધારે લાગે છે.
ભારતમાં માત્ર કાશ્મીરમાં કેસરની (Saffron) ખેતી થાય છે, કારણ કે ત્યાં ખાસ લાલ રંગની માટી છે, જેમાં કેસરની ખેતી કરવામાં આવે છે. કેસર મોંઘું હોવા છતાં અનેક લોકો તેનો ઉપયોગ કરે છે. કેસરની ખેતીમાં ખૂબ ખર્ચ થાય છે અને ઓછા પ્રમાણમાં તેનું ઉત્પાદન થાય છે તેથી પણ ભાવ વધારે હોય છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!