આણંદના બોરીયાવી ગામનાં એક સફળ ખેડૂત દેવેશભાઈ એ હળદરની ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરીને મબલખ ઉત્પાદન અને સારી આવક મેળવી રહ્યાં છે. તો આપણે જાણીશું તેમની સરળ ખેતીની માહિતી…
આણંદમાં આવેલ કૃષિ યુનિવર્સીટીનાં માર્ગદર્શન હેઠળ બોરિયાવી હળદર તરીકે પેટન્ટ પણ મેળવી લીધી છે તેમજ હળદરનું ઉત્પાદન કરીને જાતે જ પ્રોડક્ટ જેવી કે હળદર પાવડર, હળદરમાંથી સુંઠ, હળદરનું અથાણું, હળદરનું જ્યુસ કોરોનો મહામારીની વચ્ચે હળદરની કેપ્સુલ બનાવીને ઉત્તમ આવક મેળવી છે.

તેઓ કોઈપણ કેમિકલ્સ તેમજ પેસ્ટીસાઈઝનાં ઉપયોગ કર્યાં વિના 1 એકરમાં કુલ 5 કિવન્ટલ બિયારણ વાપરવામાં આવે છે. જેની કુલ કિંમત 85,000 રૂપિયા થાય છે.
જેમાં ખાતર, લેબરનો ખર્ચ મળી કુલ 1 એકરમાં કુલ 1,78,000 જેટલો ખર્ચ થાય છે.જેમાંથી કુલ 200 કિવન્ટલ ઉત્પાદન કરીને હાલનો બજારમાં ભાવ કુલ 2,500 રૂપિયા કિવન્ટલ એટલે કે કુલ 6,25,000 જેટલો ઘણી આવક મળવે છે. જેમાં કુલ 4,00,000 જેટલો ચોખ્ખો નફો મળી રહે છે.
લેખન સંપાદન : Infogujarat Team તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,સરકારી યોજનાઓ અને સરકારી નોકરીની જાણકારીઓ માટે આજે જ અમારા ફેસબુક પેજ infogujaratofficial ને લાઈક કરો..