જાણો રામદેવપીર મહારાજના આ ભવ્ય મંદિરનો ઇતિહાસ, જ્યાં સ્વંય રામદેવજી મહારાજ બિરાજમાન છે..

0
767

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામે રામદેવપીરનું મંદિર આવેલું છે આ મંદિર જામનગરથી 52 કી.મી દૂર આવેલું છે આ મંદિરે દૂર દૂર થી ભક્તજનો દર્શન કરવા માટે આવે છે.કાલાવડના નવા રણુજા ગામે આવેલ બાબા રામદેવપીરનું મંદિર પ.પૂ.બ્રહ્મલીન સંત શ્રી ખુશાલબાપુએ આ મંદિરમાં બાબા રામદેવજીની 1960માં સ્થાપના કરી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે આ જગ્યા પર પહેલા જંગલ અને મેદાન જ હતું ત્યાર બાદ સંત શ્રી ખુશાલબાપુ દ્વારા અહીંયા તેની સ્થાપના કર્યા બાદ આ મંદિરનો શિલાયન્સ કરવામાં આવ્યો અહીંયા મંદિરમાં ઉજળિયા સુદ-બીજ ઉજવવામાં આવે છે અહીંયા રામદેવજી મહારાજનો દિવ્ય જ્યોતિ પાઠ દર માસના એકમે કરવામાં આવે છે અને સાથે અન્નકૂટ પણ ધરવામાં આવે છે.અહીંયા વર્ષની 12 બીજ ઉજવવવમાં આવે છે અને પ.પૂ.સંત શ્રી ખુશાલબાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે.

આ રામદેવજીના મંદિરમાં પ્રવેશતા જ ભક્તોને શાંતિનો અહેસાસ થાય છે અહીંયા દરરોજના 1000 જેટલા ભાવિકો દર્શનાથે દર્શન કરવા માટે આવે છે.ભાદરવા મહિનામાં અહીં સુદ નોમ, દસમ અને અગિયારસનો ત્રણ દિવસનો મેળો ભરાય છે.રણુજા મંદીર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લા નાં કાલાવડ શહેરથી ૮ કિમી ઉતર દિશાએ આવેલું છે.આ મંદીર રામદેવપીર નું છે. અહીં પહોંચવા માટે કાલાવડથી સરકારી બસ તેમજ રીક્ષાની સગવડ છે.

કાલાવડ તાલુકાના રણુજાથી કાલાવડ સુધીનો લગભગ સાત કિલોમીટરનો ડામર રોડ તદન બિસ્માર હાલતમાં તબદિલ થતા ઠેર ઠેર મોટા ગાબડાને પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છેતાલુકાના રણુજાથી કાલાવડ સુધીનો સાત કિ.મી.નો ડામર રોડ એકદમ બિસ્માર હાલતમાં ફેરવાયો છે, આ રોડ પર ઠેર ઠેર મોટા ગાબડા પડી ગયા છે.ત્યારે વાહન ચાલકોને માર્ગ પરથી પસાર થતા વાહન ચલાવવામાં પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે.

આ રોડ પર જુના નવા રણુજા રામદેવપીરનું ધામ, ધુડશીયા ગામે વરૂડીમાં તથા પઠાપીરનું ધામ તેમજ કાલાવડમાં શીતળામાતાનું મંદિર આવેલું હોવાથી આ ધાર્મિક સ્થળોએ જવા માટે નજીકના ગામો અને બહારથી અસંખ્ય શ્રધ્ધાળુઓ પણ પસાર થાય છે. આ માર્ગ પર વાહનોની ભારે અવર જવર રહેતી હોવાથી આ રોડની મરામત અથવા નવો બનાવવા માટે કરાયેલી અનેક રજુઆતો છતા કોઇ જ પરીણામ આવ્યુ નથી.આ મામલે તંત્રે તાકિદે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ એવી પ્રબળ લોકમાંગણી ઉઠવા પામી છે.

આ મંદિર કાલાવડ શહેરથી ૮ કિ.મી.દુર આવેલુ છે. જયા મંદિર આવેલ છે જગ્યામા અગાઉ જંગલ હતુ.લોકવાયકા મુજબ જેમા હીરાભાઇ નામના ભરવાડ ઘેટા બકરા દરરોજ ચરાવતા હતા. હીરાભાઇને રામદેવજી મહારાજ ઉપર અખૂટ શ્રૂઘ્ધા હતી અને ભકિતભાવ કરતા હતા. તેમને રામદેવજી મહારાજે પરચો આપેલ પરંતુ હીરાભાઇએ ભગવાન તમે મને પરચો આપેલ છે તેમ હું જાણુ છુ પણ મારો સમાજ આ વાત માનશે નહી તો સાબિતીરૂપે મને શું કરવુ તે જણાવો. રામદેવજી મહારાજે પીપર વૃક્ષનુ સુકુ ડાળખુ વાવવા જણાવેલ અને તે પીપરનુ ડાળખુ લીલુ થઇ કુંપળો ફુટશે તે સૌને બતાવજે.

આ મુજબ પીપરનુ ડાળખુ લીલુ થતા ત્યાં હીરાભાઇએ નાની ડેરી બનાવી રામદેવજી મહારાજની પુજા કરવાનુ ચાલુ કર્યુ અને હીરાભાઇ માંથી હીરા ભગત કહેવાયા હાલ આ જગ્યા વીરામ વૃક્ષરૂપે ગુજરાતમા સ્થાન ધરાવે છે. અહી નવા અને જુના એમ બે મંદિર હાલમા આવેલ છે. નવા મંદિરની સ્થાપના ખુશાલભાઇ કામદારે કરેલ છે આ બંને મંદિરમા અન્નક્ષેત્ર, ગૌશાળા તેમજ ધર્મશાળા આવેલ છે.જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામે રામદેવપીરનું મંદિર આવેલું છે. આ મંદિર જામનગરથી 52 કી.મી દૂર આવેલું છે.

આ મંદિરે દૂર દૂરથી ભક્તજનો દર્શન કરવા માટે આવે છે.કાલાવડના નવા રણુજા ગામે આવેલ બાબા રામદેવપીરનું મંદિર વિશાલ મોટી સંખ્યામાં આવેલું છે. મિત્રો તમને જણાવી દઈએ કે સવારામ બાપા પીપળી ગામમાં થઇ ગયા તેમના સતગુરુ ફૂલગરજી મહારાજ હતા અને તેમની જ્ઞાતિ કુંભાર હતી.

હાલ આ મંદિર સંત ખુશાલબાપુના દીકરા સુરેન્દ્રભાઇ કામદાર ચાલવી રહ્યા છે. અહીંયા મંદિરમાં ઉજળિયા સુદ-બીજ ઉજવવામાં આવે છે. અહીંયા રામદેવજી મહારાજનો દિવ્ય જ્યોતિ પાઠ દર માસના એકમે કરવમાં આવે છે અને સાથે અન્નકૂટ પણ ધરવામાં આવે છે.આ મંદિરમાં પ.પૂ.બ્રહ્મલીન સંત શ્રી ખુશાલબાપુ એ આ મંદિરમાં બાબારામદેવજીની 1960મા સ્થાપના કરેવામાં આવેલ છે. આ જગ્યા પર પહેલા જંગલ અને મેદાન જ હતું ત્યાર બાદ સંત શ્રી ખુશાલબાપુ દ્વારા અહીંયા તેની સ્થાપના કર્યા બાદ આ મંદિરનો શિલાયન્સ કરવામાં આવ્યો.

મિત્રો એક કહાની મુજબ એક સમયે અહીંયા ભગત ભજન ગાતા હતા મેઘવાળ મંડળ શ્રોતાજનો સાંભળે છે,ત્યાં પંડિતજી આવી,મેઘવાળો મંડળને કહેછે,કે તમે શુદ્રના મુખે વાણી સાંભળોછો તો નર્કના અધિકારી થશો.તે વખતે સવરામ બાપા આ પદ બોલ્યા કે હે પંડિત શુદ્ર તે કોઈ કહૈ,નિંદા અસ્તુતિ નિત્ય કરીને,તમે શ્રોતાજનો સુનાઈ, હાડ માસ ચામ રુદ્ર ને વિટા,મૂત્ર ભર્યો છે માહી,એવા શરીરમાં આપ બિરાજો,તમે કેન કરો પંડિતાઇ.પંડિત -1.

તનનો માલ તપાસીને જોજો, સર્વેમાં સરખોચે ભાઈ,શુદ્ર જાતિને છેટે કાઢીને તમે,પચે બોલો તો બડાઈ.પંડિત-૨, પાંચ તત્વ અને ત્રણ ગુણમાં,શુદ્ર તે કોણ કહાઈ,ઉત્તમ મધ્યમ કર્મ રહ્યાછે,વર્ણાશ્રમ ની માઇ: પંડિત -3સંશય શુદ્ર મુવો નહિ મૂરખ,મોટો થયો તુજ માહી, મહામાર્ગીયએ મારીને કાઢ્યો,આવી બેઠો છે અહીં :પંડિત -4 એક બીજ અને એક આત્મા,એક ખાંણેથી સબ આઈ,સતગુરુ ચરણે દાસ સવો કહે,બ્રાહ્મણ ક્ષત્રી ને કસાઈ.

અહીંયા વર્ષની 12 બીજ ઉજવવવમાં આવે છે અને પ.પૂ.સંત શ્રી ખુશાલબાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે. આ રામદેવજીના મંદિરમાં પ્રવેશતા જ ભક્તોને શાંતિનો અહેસાસ થાય છે. અહીંયા દરરોજના 1000 જેટલા ભાવિકો દર્શનાથે દર્શન કરવા માટે આવે છે. અહીંયા ભાદરવા સુદ-નોમ,દશમ,અગિયારસ,ના મેળો યોજાય ત્યારે મંદિરમાં ત્રણ દિવસ ભજન, સંતવાણી, મહાપ્રસાદનું આયોજન કરવમાં આવે છે .અહીંયા મોટી સઁખ્યામા દૂર દૂર થી યાત્રિકો આવે છે. અહીંયા મંદિરની અંદર પ્રાગણમાં અલગ- અલગ દેવી દેવતાઓની મૂર્તિ બેસાડવામાં આવી છે. અહીંયા વર્ષ દરમ્યાન નાના મોટા તહેવારો પણ ઉજવવમાં આવે છે.

વિક્રમ સંવત 1968માં પીપળીગામના સવારામ બાપાએ મંદિરની સ્થાપના કરી.ધાર્મિક માહાત્મ્ય, વિક્રમ સંવત 1968માં પીપળી ગામમાં દુષ્કાળ પડ્યો. તેથી અહીંના સવા ભગત માટી કામના વ્યવસાય માટે કચોલિયા ગામ ગયા હતા. દિવસે તેઓ વાસણ બનાવતા અને રાત્રે સત્સંગ કરતા. એક સાંજે તેમની પાસે કબીર હંસ બનીને આવ્યા. કબીર સાહેબે સવાભગતને ગુરુજ્ઞાન આપ્યુંસ્ટ. સપનાંમાં કબીરસાહેબે આપેલી પ્રેરણાથી સવા ભગતે પીપળી ગામે કબીર મંદિરની સ્થાપના કરી.

ઐતિહાસિક માહાત્મ્ય, મંદિરના સ્થાપક સવા ભગત લોકસંત તરીકે એટલાં જાણીતા હતા કે ગાંધીજીના અંતેવાસી અને પ્રખર લેખક-વિચારક સ્વામી આનંદે પણ ખાસ તેમની મુલાકાત લીધી હતી અને પોતાના પુસ્તક ‘ધરતીની આરતી’માં સવા ભગતે લોકબાનીમાં રચેલાં પદોને વૈદિક ચિંતનનો સાર ગણાવ્યા હતા.સ્વામી આનંદે સવા ભગતની પ્રશસ્તિ કરી અને સન્માન આપ્યું એ પછી લિંબડીના ઠાકોરે તેમનો મહિમા સ્વિકાર્યો. એકવાર લિંબડી ઠાકોરના મહેમાન બનેલાં રાજકોટના ઠાકોરે સત્સંગ માટે સવા ભગતને બોલાવ્યા.

એ વખતે સવા ભગતના પદ સાંભળીને રાજકોટના ઠાકોરે પણ તેમને આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વિકાર્યા હતા.વર્ષ ૨૦૧૪માં મંદિરની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા ત્યારે ત્રિ-દિવસિય શતાબ્દિ મહોત્સવ ઉજવાયો હતો. જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રના આશરે પાંચ લાખથી વધુ ભાવિકો અને ગુજરાતભરના તમામ નામી-અનામી સાધુ, સંતો, કથાકારો અને દેશભરના તમામ અખાડાના પ્રતિનિધિઓએ હાજરી આપીને ઈતિહાસ સર્જ્યો હતો.

દર્શન માટે આ જગ્યા શ્રદ્ધાળુઓ માટે 24 કલાક ખૂલી રહે છે.આ સુંદર મંદિરનું નિર્માણ પીપળીધામના સવારામ બાબાએ વિક્રમ સંવત 1972માં મંદિરની સ્થાપના કરી હતી. રામદેવપીરના બાવન ગજના દેવળની પ્રાણપ્રતિષ્ઠા સદગુરુ બળદેવજી મહારાજે કરાવી હતી. મુખ્ય પ્રવેશદ્વારનું નિર્માણ 1985માં બળદેવદાસ મહારાજના હસ્તે કરાયું હતું.

મિત્રો તમને જણાવી દઈએ કે આ મંદિરમાં હંમેશા પૂર્ણિમાએ પૂજન, ભજન અને ભોજન હોય છે. સાથે બીજ, ગુરુપૂર્ણિમા, ભાદરવા સુદ નોમ, દશમ, અગિયારસ, સવારામ બાપા અને બળદેવદાસ બાપા તિથિ મહોત્સવ બહુ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ હાલ ગાદી પર બિરાજમાન છે.પીપળી ના રામદેવજી મંદિરમાં આરતીનો સમય, સવારે: 7.15 વાગ્યે,સાંજે અને સંધ્યા સમયે કરવામાં આવે છે અને આ સિવાય શ્રદ્ધાળુઓ માટે ૨૪ કલાક અહીં મંદિરના દ્વાર ખુલ્લાં હોય છે.

આ મંદિર સુધી પોહોચવાનો રસ્તો સુરેન્દ્રનગરથી 37 કિમી, અમદાવાદ 97 કિમી, રાજકોટ 150 કિમી. અંતરે આવેલા આ સ્થળે જવા માટે ખાનગી વાહનો પણ મળે છે.રામદેવજી પીપળી ધામ નજીક પણ બીજા ઘણા ધાર્મિક સ્થળો આવેલાં છે જેમાં નજીકનાં મંદિરો, સ્વામિનારાયણ મંદિર, મૂળી- 66 કિમી.ઈસ્કોન મંદિર અમદાવાદ-97 કિમી.જગન્નાથ મંદિર અમદાવાદ -104 કિમી.ચામુંડા માતા મંદિર ચોટીલા- 103 કિમી.અહીં સંત કબીરનું મંદિર પણ આવેલું છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ મંદિરમાં રહેવાની અને જમવાની વ્યવસ્થા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે.મિત્રો તમને જણાવી દઈએ કે અહીં રહેવા-જમવાની વિનામૂલ્યે ઉત્તમ સુવિધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here