પ્રસંગ-૭ : શાંતિલાલ માટે હવે આગળના અભ્યાસ માટે પાદરાની શાળામાં ભણવા જવાનો જ
માર્ગ બચેલો. તે વખતે શંકરલાલ અને મૂળજી નામના ચાણસદના બે તરુણો પાદરાની અંગ્રેજી શાળામાં અભ્યાસ કરવા જતા જ હતા.
ચાણસદથી પાદરા આશરે સાડા પાંચ છ કિલોમીટર દૂર થાય. તેથી સાઇકલ પર જવું પડે. શાંતિલાલ પાસે સાઇકલ નહોતી.પણ પેલા બે મિત્રોએ પોતાની સાઇકલ પર શાંતિલાલને લઈ જવા-લાવવાની તૈયારી બતાવી. શાંતિલાલનો સ્વભાવ જ એવો મીઠો અને મિલનસાર હતો કે કષ્ટ વેઠીને પણ સૌ તેઓનું સાનિધ્ય ઝંખતા.

કહો ને કે તેઓના સાંનિધ્યમાં કષ્ટ જણાતું જ નહીં. આમ, મિત્રોએ બાયધરી આપતાં શાંતિલાલે પાદરાની શાળામાં અગ્રેજીનાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો. વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.