આધુનિક સમયમાં લોકો સાથે સમાજમાં ઘણી ગંભીર ઘટનાઓ બનતી આપણે જોઈ રહ્યા છીએ. અને સમાજમાં આપણને ઘણી બધી જગ્યાએ નાના બાળકો સાથે બનતી ઘટનાઓ સાંભળવા મળી છે. નાના બાળકોના અપહરણ અથવા જન્મેલા બાળકોને તેના પરિવારના લોકો રસ્તા પર છોડીને જતા રહે તેવી ઘણી બધી ઘટનાઓ બની ચૂકી છે.
નાના જન્મેલા માસૂમ બાળકોને દુનિયામાં આવતાની સાથે જ બાળકને મારીને રસ્તા પર ખુલ્લેઆમ મૂકી દેવામાં આવે છે. આવી ઘટનાઓ આપણે બાળકી સાથે પહેલા પણ બન્યાની જોઈ હતી. અને હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. બાળકીને પરિવારના લોકો જન્મતાની સાથે જ ત્યજી દે છે.
આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની હતી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં એક બાળક સાથે બની હતી. આ ઘટના ચોટીલા હાઈવે ઉપર આવેલી એક હોટલની પાછળની સાઇડ તાજું જન્મેલુ જીવતું બાળક મળી આવ્યું હતું. આ બાળકની માતા 22 વર્ષની ઉંમરની હતી. અને તે મુંબઇની રહેવાસી હતી. મુંબઈની સુખી અને સંપન્ન પરિવારની મહિલા હતી.
આ મહિલા પોતાની માતા સાથે ચોટીલાના હાઇવે પર ધર્મશાળામાં રૂમ રાખીને રોકાઈ હતી. તે સમયે મહિલાને બાળકનો જન્મ ધર્મશાળાની રૂમમાં જ થયો હતો. અને મહિલાને બાળક ત્યજી દેવું હતું. તે માટે બાળકના જન્મ પછી બાળકને કપડામાં લપેટી હોટલની પાછળની સાઈડમાં મૂકી દેવામાં આવ્યું હતું.
બાળકને જીવતુ મૂકીને મહિલાની માતા અને મહિલા ત્યાંથી ભાગી ગયા હતા. જે માતા જન્મ આપે છે તે જ માતા બાળકને ત્યજીને ભાગી જાય છે. આવી નિર્દય માતાની સામે કોઈ પહોંચી શકતું નથી. અને હોટલના સ્ટાફને બાળકના રડવાનો અવાજ સાંભળીને હોટલની આસપાસ તપાસ કરવામાં આવી તો હોટલની પાછળની સાઈડમાં તાજુ જન્મેલુ બાળક મળી આવ્યું હતું.
અને તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે સૌથી પહેલાં બાળકને હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યું હતું. અને તે સમયે બાળકને જન્મ આપનાર મહિલાને શોધી કાઢી હતી. ત્યારબાદ મહિલા અને તેની માતાને બાળકને શા માટે ત્યજી દઈને કારણ પૂછવામાં આવ્યું હતું. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!