ટ્રકે કારને જોરદાર ટક્કર મારી 500 મીટર ઘસડી, કાર ચાલકની હાલત જોઇને પોલીસને પણ ચક્કર આવવા લાગ્યા…!!

0
145

દિવસેને દિવસે રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં વાહનો વધતા અકસ્માતો પણ ખૂબ જ વધવા લાગ્યા છે. અકસ્માતો સર્જાતા ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. આજકાલ અકસ્માતને કારણે ઘણા બધા લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા છે. એક દિવસમાં રાજ્યમાં ઘણા બધા અકસ્માતાને કારણે ઘણા બધા લોકોના જીવ ગયા છે.

લોકો પોતાનું વાહન ઉતાવળમાં અને બેદરકારીપૂર્વક ચલાવી રહ્યા છે. તે માટે ઘણા બધા લોકો સાથે અકસ્માતો સર્જાય રહ્યા છે. અકસ્માતો સર્જાતા લોકો હવે આજકાલ  ઘરની બહાર નીકળવામાં પણ વિચાર કરી રહ્યા છે. આવી જ એક ભયાનક અકસ્માતની ઘટના હાલમાં બની હતી. આ અકસ્માતની ઘટના ચિત્રકૂટ વિસ્તારમાં બની હતી.

ચિત્રકૂટ વિસ્તારમાં એક ટ્રક ચાલકે કારને ટક્કર મારી લીધી હતી. 500 મીટર સુધી કારણે ઘસડી હતી. રાજાપુરના મજરા આઝાદ નગરમાં રહેતા મનોજ વિશ્વકર્મા સાથે આ અકસ્માત સર્જાયો હતો. તેઓ પહાડી વિસ્તારમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરી કરતા હતા. તેઓ પોતાના બાળકો અને પત્ની સાથે કર્વીમાં રહેતા હતા.

તેના માતા પિતા બીજા વિસ્તારમાં રહેતા હોવાથી તેના વતન માતા-પિતાને મળવા માટે ગયો હતો. ત્યાંથી સાંજના સમય થતા તે પોતાના ઘરે પરત આવી રહ્યો હતો. તે સમયે રાજાપુર કર્વી મેઈન રોડ ઉપર આવેલા આઝાદ નગર પાસે ટર્ન લેતો હતો અને ટર્ન લેવા માટે તેને પોતાની કાર વાળવાની હતી. તે માટે તેને કારને ધીમી પડી હતી.

તે સમયે અચાનક જ પાછળથી ટ્રક ચાલક ખૂબ જ સ્પીડમાં આવી રહ્યો હતો. તેણે જોરદાર કારને ટક્કર મારી દીધી હતી. કારને લગભગ 500 મીટર સુધી ઘસડી ગયો હતો. કાર આગળ અને ટ્રક પાછળ મનોજને કારમાં ઘસડ્યો હતો. પાછળના ભાગે ગાડી કુચા થઈ ગઈ હતી. ખૂબ જ મોટી ટક્કર લાગવાને કારણે મનોજ આગળના બોનેટ પરથી ભડકાયો હતો.

તેથી કાર આગળ ઢસડાતા રોડ પર લાગેલા સાઈડ પરના બોર્ડ સાથે અથડાઈને રોકાઈ ગઈ હતી. બોર્ડ સાથે કાર અથડાતા પાછી ટક્કર લાગી હતી. તેથી કારના ભુકા બોલી ગયા હતા. મનોજનું કારમાં જ મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ આ ઘટના જોઈને ટ્રક ચાલક ડરી ગયો હતો. તેથી પોતાનો ટ્રક લઈને ભાગી ગયો હતો.

આ અકસ્માત થતા આસપાસના સ્થાનિક લોકો તરત જ મનોજને બચાવવા માટે કારની પાસે પહોંચ્યા હતા. તે સમયે મનોજનું મૃત્યુ થઈ ગયું હતું. તેથી તેને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ મનોજના પરિવારને મનોજના મૃત્યુની જાણ કરવામાં આવી હતી.

મનોજના પિતાએ આ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક લોકોનું કહેવું હતું કારની સ્પીડ ધીમી હતી પરંતુ ટ્રક ચાલક 100ની ઉપર સ્પીડે પોતાનો ટ્રક ચલાવીને આવી રહ્યો હતો. ફુલ સ્પીડમાં હોવાને કારણે તે પોતાના ટ્રક પર કંટ્રોલ કરી શક્યા ન હતો. તેથી ટક્કર મારીને ભાગી ગયો હતો. પોલીસ ટ્રક ચાલકની તપાસ કરી રહ્યા હતા.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here